નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 49,881 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 80,40,203 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,03,687 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 73,15,989 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 517 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા 1,20,527 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય અને પરિવાર  કલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં રિકવરી રેટ 90.99 ટકા થયો છે જ્યારે મૃત્યુદર 1.50 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યાં 16,60,766 કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. જ્યારે 43,554 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, અને દિલ્હીનું સ્થાન છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube